Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ વાર જન્માષ્ટમી પર્વ નિમિતે પંચવિધ કાર્યક્રમો યોજાયા

સંતો-મહંતોની ઉપસ્થિતી મા યોજાયા કાર્યક્રમો મટકીફોડ યોજી મોરબીમા ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ

મોરબી :આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિતે પંચવિધ કાર્યક્રમો યોજી શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામા આવ્યો હતો. જે અંતર્ગત સંતો-મહંતો ની ઉપસ્થિતીમા સવારથી જ શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત રામજી મંદિર પાસે સમસ્ત ધર્મપ્રેમી જનતા માટે ફરાળ પ્રસાદનુ આયોજન કરવા મા આવ્યુ હતુ,
જેમા બહોળી સંખ્યા મા ભક્તજનો એ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી, તે ઉપરાંત ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા યોજાઈ હતી. જેમા બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેના વિજેતા ના નામ તેમજ ઈનામ વિતરણ ની તારીખ હવે પછી જાહેર કરવા મા આવશે. તેમજ બપોરે તેમજ રાત્રે ૧૨ કલાકે મટકીફોડ તેમજ મહાઆરતી સહીત ના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી.

(11:19 pm IST)