Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ધોરાજી જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવ:કડીયાવાડ યુવક મંડળ સ્વામિનારાયણ મંદિર પાસે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:ધોરાજી જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવ  ઉજવાયો હતો ધોરાજીના કડીયાવાડ યુવક મંડળ સ્વામિનારાયણ મંદિર પાસે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
બે વર્ષના વિરામ બાદ ફરી ભગવાન શ્રીકૃષ્ણ ની યાદમાં ધોરાજી શહેરમાં અનેક વિસ્તારોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો
.કડીયાવાડ યુવક મંડળ દ્વારા સ્વામિનારાયણ મંદિર ની પાસે ભવ્ય નંદ મહોત્સવ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી લતાવાસીઓએ કરી હતી
બાલ કૃષ્ણ લીલા સૌમ્ય વિશાલભાઈ ધીનોજા એ દિવ્ય લાભ લિધો હતો આ પસંગે જિલ્લા ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ વિશાલભાઈ ધીનોજા વિપુલભાઈ વિગેરે અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા
તેમજ રાસ ગરબા તેમજ ભગવાન શ્રીકૃષ્ણની લીલા સાથે અનેક કાર્યક્રમો યોજ્યા હતા
કાર્યક્રમને સફળ બનાવવા માટે કડિયા વાડ યુવક મંડળ ના તમામ યુવાનોએ જહેમત ઉઠાવી હતી

 

(4:02 pm IST)