Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મોરબીના દરબારગઢ નજીકના શીતળા માતાજી મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ

મોરબી : આજે શીતળા સાતમના પવિત્ર દિવસે મોરબીના દરબારગઢ નજીક આવેલ શીતળા માતાજી મંદિર ખાતે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મોરબીમાં આવેલ પૌરાણિક શીતળા માતાજી મંદિર શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે અને આજે શીતળા સાતમના પર્વે શીતળા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા બાળકોને શીતળા માતાજીના દર્શન કરાવી અનેક રોગોથી બચાવી સકાય તેવી શ્રદ્ધા પણ ભક્તોમાં જોવા મળે છે સવારથી મંદિરમાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા અને ભક્તોની ભીડ સતત જોવા મળી હતી

(11:26 pm IST)