Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ગોંડલ અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવને ૧૪ લાખ લોકોએ માણ્યો

પૂ. મહંત સ્વામીની અધ્યક્ષતામાં આયોજીત ૧૧ દિવસીય ધર્મોત્સવનો વિરામઃ રકતદાન કેમ્પમાં ૭.૩૫ લાખ સીસી રકત એકત્રઃ ૧૫૦૦૦ સ્વયંસેવકો, ૩૫૦થી વધુ સંતોએ સેવા આપી

ગોંડલ : અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની તસ્વીરી ઝલક.

 

ગોંડલ તા.૩૧: ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ધામગમન બાદ તેઓશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર જે સ્થાન પર કરવામાં આવ્યો હતો એ સ્થાન અક્ષરદેરીના નામે વિશ્વપ્રસિદ્ઘ છે. ગુજરાત રાજયના રાજકોટ શહેરથી ૩૫ કી.મી.ના અંતરે આવેલ અક્ષરદેરીની સ્થાપનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં તા. ૨૦મી જાન્યુઆરીથી તા.૩૦મી જાન્યુઆરી સુધી શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવ માટે ૧૫૦૦૦થી વધુ મહિલાઓ દ્વારા ૯ લાખથી વધુ દ્યરોમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિથી લઈને છેવાડાના ગામડાના સામાન્ય લોકો પણ અક્ષરદેરીને અર્ઘ્ય અર્પવા અને ઉત્સવનો લાભ લેવા માટે આવ્યા હતા.૧૧ દિવસના આ ઉત્સવમાં ૧૪ લાખ થી વધુ દર્શનાર્થીઓ પધાર્યા હતા. સમગ્ર ઉત્સવ દરમિયાન ૧૫૦૦૦ સ્વયંસેવકો અને ૩૫૦ થી વધુ સંતોએ ખડે પગે રહીને સેવાઓ બજાવી હતી. સ્વામિનારાયણ નગરમાં ચાલતા રકતદાન કેમ્પમાં ૭,૩૫,૦૦૦ (સાત લાખ પાત્રીસ હજાર) સીસી રકતદાન થયું હતું. વ્યસનમુકિત યજ્ઞમાં પોતાના વ્યસનોની આહુતિ આપીને ૧૩૦૦ (તેર સો)જેટલા લોકો વ્યસનમુકત થયા હતા. જુદી જુદી શાળાઓ અને શિક્ષકો આ ઉત્સવનો લાભ લઈને મૂલ્યશિક્ષણ અને જીવનશિક્ષણના પાઠ ભણે એ હેતુથી તા.૨૦થી તા.૩૦ સુધી સવારના સમયે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે દર્શનની વ્યવસ્થા કરી હતી જેનો ૩૬૦ શાળાના ૬૧,૨૦૦ (એકસઠ હજાર બસ્સો) વિદ્યાર્થીઓ અને ૫૫૦૦ (પાંચ હજાર પાંચ સો) શિક્ષકોએ લાભ લીધો હતો. શ્રી નીલકંઠ વિદ્યા સંકુલ, રાણસીકીથી આવેલ ભેડા શીતલ પ્રતાપભાઈએ જણાવ્યું કે પરમાનંદ પ્રદર્શન ખંડમાંથી મને પ્રમુખસ્વામી મહારાજની જેમ બીજા લોકો પ્રત્યે શુભભાવના રાખવાનો ઉપદેશ મળ્યો. ગોંડલની ઓક્ષફર્ડ ઇનટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીની સોલંકી રાધિકાએ જણાવ્યું કે અમે આ મહોત્સવ માંથી દ્યણું બધું શીખ્યા છીએ. વિશેષ તો બીજા લોકો સારા છે કે ખરાબ તેનો વિચાર કર્યા વગર બધાનું ભલું ઇચ્છવાનું હું અહીંથી શીખી છું.’આમ, ઉત્સવમાં સામેલ થનાર સૌ કોઈએ અલૌકિક આનંદ અને પરમ શાંતિનો અનુભવ કર્યો હતો. શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ લાભ લેનાર તમામ માટે એક ચિરસ્મરણીય સંભારણું બની ગયું છે. મુકતાનંદ પ્રદર્શનખંડમાં રજુ થતો વિડીયો શો દ્વારા મુલાકાતીઓને વ્યસનમુકત જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. એક વ્યસની માણસ વ્યસન ના મૂકી શકવાને કારણે એના માતા-પિતા, પત્ની અને સંતાનને કેવી દર્દનાક જિંદગીની ભેટ આપી જાય છે એ વાતને ખૂબ અસરકારક રીતે રજુ કરવામાં આવી હતી. વ્યસનમુકિતનો ઉત્ત્।મ સંદેશ આપતો આ પ્રદર્શન ખંડ ખૂબ જ અસરકારક રહ્યો હતો. અઠંગ વ્યસનીઓને પણ વ્યસન છોડવાની અહીં પ્રેરણા મળી હતી.અક્ષરાનંદ પ્રદર્શનખંડ : આ પ્રદર્શનખંડમાં અક્ષરદેરી જેમનું સ્મૃતિમંદિર છે એવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જીવન અને કાર્યના વિવિધ પ્રસંગોની મનોભાવક રજૂઆત આ ડોમમાં બતાવવામાં આવતા વિડીયો શો દ્વારા કરવામાં આવી હતી. ચોટદાર સંવાદો દ્વારા અહીં ખૂબ સુંદર રજૂઆત કરવામાં આવી હતી.યોગાનંદ પ્રદર્શનખંડ : આ  પ્રદર્શનખંડમાં ૨૫ વર્ષ સુધી ગોંડલ અક્ષરમંદિરના મહંતપદે બિરાજેલા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના જીવનપ્રસંગોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. મનોરંજનની સાથે સાથે મનોમંજન થાય એવી રીતે દ્યરદ્યરમાં બનતી જુદી જુદી દ્યટનાઓને યોગીજી મહારાજના જીવનમાં બનેલી વિવિધ દ્યટનાઓ સાથે તુલના કરીને દુઃખોની વચ્ચે પણ કેવી રીતે આનંદમાં રહેવું તે અંગેની સુંદર સમજણ આપવામાં આવી. યોગીજી મહારાજનું નિર્દોષ હાસ્ય તેમની વિશેષતા હતી. અપાર કષ્ટો, ગંભીર બીમારીઓ અને અથાગ પરિશ્રમ વચ્ચે પણ તેઓનું હાસ્ય કદી વિલાયું નોલૃતુ. સદૈવ બ્રહ્માનંદમાં વિચરતા એવા યોગાનંદલૃયોગીજી મહારાજના જીવનમાંથી કેટલાક ચૂંટેલા પ્રસંગો દ્વારા અહીં હંમેશાં આનંદમાં રહેવાનું રહસ્ય શીખવાડવાનો સુંદર પ્રયાસ કરાયો હતો.નિત્યાનંદ પ્રદર્શનખંડ : આ પ્રદર્શનખંડમાં એક લાઈવ સંવાદ દ્વારા પારિવારિક પ્રશ્નો ઉભા થવાના કારણો અને એ પ્રશ્નોનું નિરાકરણ કરવાના ઉપાયોની આકર્ષક રજૂઆત કરવામાં આવી. જયારે પ્રેક્ષકોની સામે સંવાદ ભજવાય ત્યારે મોટાભાગના લોકોને અનુભૂતિ થાય કે આ મારા પરિવારની જ વાત છે. નિત્યાનંદ નામના પાંચમાં પ્રદર્શન ખંડમાં પારિવારિક એકતાનો ઉપદેશ અપાયો હતો. આજે વિશ્વભરની સૌથી મોટી સમસ્યા છે, તૂટતાં દ્યરોઆધુનિકતાના બહાને પરિવારમાં વધતા કલેશ અને કુસંપને ડામવાનો અહીં સફળ પ્રયાસ કરાયો હતો. સુંદર સંવાદ અને વિડિયોના માધ્યમથી દ્યરમાં સુખ-શાંતિ રાખવાના ઉપાયોની આમાં સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.સહજાનંદ પ્રદર્શનખંડ : આ પ્રદર્શનખંડમાં ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણી રૂપે નાની ઉમરમાં કરેલી હિમાલયની અતિ કઠિન યાત્રાને એનિમેશન ફિલ્મ રૂપે પ્રદર્શિત કરવામાં આવી છે. આ વિડીયો શો નિહાળીને લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં નિર્ભયતા અને સાહસ જેવા ગુણો અને પ્રશ્નોની સામે દ્યૂટણીયે પડવાને બદલે પ્રશ્નોને પડકારવાની વૃતિ જન્મે છે. એનીમેશન ફિલ્મની રોમાંચક પ્રસ્તુતિ દ્વારા અહીં ભગવાન સ્વામિનારાયણના અસાધારણ જીવન અને કાર્યને દર્શાવવામાં આવશે.પરમાનંદ પ્રદર્શનખંડ :  આ પ્રદર્શનખંડમાં વિશ્વવંદનીય સંત વિભૂતિ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યની જુદા જુદા ૪ વિડીયો શો દ્વારા અદભૂત પ્રસ્તુતિ કરવામાં આવી. પ્રમુખસ્વામી મહારાજે કેવી વિકટ પરિસ્થિતિની વચ્ચે લોકોની સુખાકારી માટે ગામડે-ગામડે અને દ્યરે-દ્યરે વિચરણ કર્યું હતું એનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો.ભજનાનંદ પ્રદર્શનખંડ આ પ્રદર્શનખંડમાં અવિરત વહેતો ભજનોનો પ્રવાહ મુલાકાતીઓને પ્રભુભજન દ્વારા મનની શાંતિનો સંદેશો આપતો હતો. ૨૪ કલાક અખંડ ભજન ભકિત સાથે ચાલુ રહેલા આ પ્રદર્શનખંડમાં ૬૦૦૦ વ્યકિતઓએ મહાપૂજાનો લાભ લીધો. ૨૫૦૦૦ માળાઓ ફેરવી મંત્ર જાપ કર્યા. ૨૫૦૦ પૃષ્ઠ મંત્ર લેખન થયું. ૨૦૦૦ જનમંગલ નામાવલીના પાઠ થયા. ૭૫૦૦ દંડવત અને ૨,૦૦,૦૦૦ પ્રદક્ષિણાઓ લોકોએ કરી હતી.વિરાટ પ્રવેશદ્વાર તથા પ્રતિમાઓ  ૨૧૦ ફુટ લાંબો, ૪૫ ફુટ ઉંચો અને ૧૦ ફુટ પહોળો કલાત્મક પ્રવેશદ્વાર, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની ૧૮ ફુટ ઊંચાઈની પ્રતિમાઓ, સંતો અને મહાપુરુષોની ૬ ફુટ ઊંચાઈની પ્રતિમાઓ અને ૧૬ દેવતાઈ સ્વરૂપોની પ્રતિમાઓ સૌ મુલાકાતીઓના મન હરી લેનારા આકર્ષણો હતા

અક્ષરદેરી લાઈટ એન્ડ સાઉન્ડ શો અક્ષરદેરી લાઈટ એન્ડ સાઉન્ડ શો સ્વામિનારાયણ નગરનું હદય હતું. માત્ર સાત ચોપડી ભણેલા બીએપીએસના સંત પૂ. બ્રહ્મચરણદાસ સ્વામીએ થર્મોકોલ અને લોખંડના સ્ટ્રકચરમાંથી ૭૦ ફુટ ઊંચી અને ૫૦ ફુટ પહોળી અક્ષરદેરી તૈયાર કરી હતી. આ અક્ષરદેરીને કેન્દ્રમાં રાખીને નૃત્ય અને સંવાદો સાથે પ્રસ્તુત થતો લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળવા માટે સાંજના ૭.૧૫ વાગતા સુધીમાં આખું મેદાન ખીચોખીચ ભરાઈ જતું.

મહોત્સવની મુલાકાતે આવનારા સૌ મુલાકાતીઓ સંસ્થાનું મેનેજમેન્ટ જોઇને મોઢામાં આંગળા નાખી જતા હતા. સંસ્થાની સંકલન સમિતિએ એવું ટકોરાબંધ આયોજન કર્યું હતું કે રોજના એક લાખથી વધુ ભાવિકો દર્શનાર્થે આવતા હોવા છતાં ૧૧ દિવસમાં એક પણ અદ્યટિત દ્યટના બની નહોતી. બુધવાર અને જાહેર રજાના દિવસે તો દર્શનાર્થીઓની સંખ્યા દોઢ લાખથી પણ વધી જતી હતી આમ છતાં કોઈ દર્શનાર્થીઓને કોઈ પ્રકારની તકલીફ ના પડે એવી વ્યવસ્થા હતી. અતિ વૃધ્ધ અને અશકત લોકો માટે વ્હીલચેર તેમજ ગોલ્ફાકારની પણ સુવિધા હતી. અક્ષરદેરી અને મંદિર દર્શન માટે આવતા લોકોના બુટ-ચપ્પલ સાચવવાથી લઈને જમાડવા સુધીની બધી જ વ્યવસ્થામાં સંસ્થાના સંતો અને કાર્યકર્તાઓની વહીવટી સૂઝ ઉડીને આંખે વળગતી હતી. સમગ્ર ઉત્સવની કામગીરીને જુદા-જુદા ૩૨ વિભાગોમાં વહેંચવામાં આવી હતી. કેટલાક વિભાગો દ્વારા થયેલી કામગીરીનો પાતળો પરિચય મેળવીએ.

રસોડા વિભાગ   

અક્ષરદેરી મહાતીર્થ છે એટલે આ ઉત્સવમાં આવતા તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા થાય એવી પ.પૂ.મહંતસ્વામી મહારાજની અંતરની ઈચ્છા હતી. સ્વામીશ્રીની ઈચ્છા મુજબ સૌ દર્શનાર્થીઓ માટે સવાર, બપોર અને સાંજ ગરમા-ગરમા ભોજનની વ્યવસ્થા કાબીલેદાદ હતી. લાખોની સંખ્યામાં મહાપ્રસાદ લેનારા હોવા છતાં કોઈ પ્રકારની અવ્યવસ્થા નહોતી.

સલામતી વિભાગ

કોઈપણ મોટા ઉત્સવમાં સૌથી મોટો પ્રશ્ન સલામતીનો હોય. રોજનાં હજારો લોકો દર્શનાર્થે આવતા આમ છતાં સલામતી વિભાગના સુરક્ષા કવચને કારણે એકપણ દુર્દ્યટના બની નહોતી. સલામતી વિભાગની સેવાથી પોલીસ પણ પ્રભાવિત હતી.

પાણી વિભાગ

પાણી વિભાગે પાણીનો ખોટો બગાડ ના થાય અને પાણીની તંગી પણ ના સર્જાય એવી રીતે પાણીના વિતરણની વ્યવસ્થા ગોઠવી હતી. શિયાળાની ઠંડીમાં વહેલી સવારે સેવામાં આવેલા હજારો સ્વયંસેવકો માટે સ્નાન માટેના ગરમ પાણીની વ્યવસ્થા થઇ જતી.

ઉતારા વિભાગ

આ ઉત્સવનો લાભ લેવા માટે જુદા જુદા ૫૫ દેશમાંથી આવેલા હજારો ભકતો ઉપરાંત ભારતભરમાંથી આવેલા હરિભકતો માટે ગોંડલ અને આસપાસના વિસ્તારમાં ૧૦૦૦૦ જેટલા ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જયાં ઉતારો આપવામાં આવ્યો હોય ત્યા જરૂરી આનુંસંગીક સેવાઓ સમયસર મળી રહે એવી અફલાતુન વ્યવસ્થા ગોઠવી હતી.

પીઆર અને પ્રેસ વિભાગ

મહોત્સવનો લાભ લેવા આવતા મહાનુભાવોની દર્શન વ્યવસ્થા સંભાળતા પીઆર વિભાગના સ્વયંસેવકો દિવસ-રાત ખડે પગે હતા. આવનારા તમામ મહાનુભાવોના જુદા જુદા વિભાગો પાડીને જુદી જુદી તારીખ પર જુદા જુદા મહાનુભાવોને પધારવા આમંત્રણ આપ્યું હતું જેથી એક જ સરખો ધંધો કે વ્યવસાય કરતા મહાનુભાવો એક સાથે મહોત્સવને માણી શકે. પ્રિન્ટ અને ડીઝીટલ મીડિયાના માધ્યમથી દેશ-વિદેશના લોકો  મહોત્સવની પળે પળની ખબર મેળવી શકે એવું સુંદર આયોજન પ્રેસ વિભાગ દ્વારા થયું હતું. પત્રકારો અને મીડિયા કર્મીઓના સંપર્કમાં રહીને મહોત્સવની રોજે રોજની માહિતી ફોટોગ્રાફ્સ અને વિડીયો સાથે પહોંચતી કરવામાં આવતી હતી.

સ્વચ્છતા વિભાગ

મહોત્સવની મુખ્ય સભામાં જ રાષ્ટ્રપતિશ્રીએ બીએપીએસ સંસ્થાના મંદિરોની સ્વચ્છતાના વખાણ કર્યા હતા. ૨૦૦ એકરમાં પથરાયેલા સ્વામિનારાયણ નગરમાં તમને એક કાગળ ઉડતો નજરે ના પડે એવી સ્વચ્છતા આ વિભાગના સ્વયંસેવકોને આભારી હતી. મોડી રાત્રે દર્શનાર્થીઓ વિદાય થાય પછી સવાર સુધી સફાઈનું કામ ચાલતું.

પાર્કિંગ વિભાગ

પાર્કિંગ વિભાગની કામગીરીથી સૌ દર્શનાર્થીઓ ખુશ હતા. પાર્કિંગ અને મહોત્સવ સ્થળ સામસામે જ હતા એટલે વાહન પાર્ક કરીને દર્શનાર્થીને વધુ ચાલવું ના પડતું. પાર્કિંગમાં વાહનોની ગોઠવણી, એન્ટ્રી, એકઝીટ આ બધી વ્યવસ્થા એટલી સરસ રીતે ગોઠવાયેલી હતી કે હજારો વાહનો હોવા છતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી નહોતી.

મેડીકલ વિભાગ

ઉત્સવમાં આવતા દર્શનાર્થીઓને કોઈ શારીરિક તકલીફ પડે તો તાત્કાલિક સારવાર માટે મહોત્સવના સ્થળ પર જ એમ્યુલન્સ સુવિધા સાથેની હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. વિવિધ વિભાગોના ડોકટરો ૨૪ કલાક સેવા બજાવતા હતા.

આ ઉપરાંતના બાકીના બધા વિભાગોએ સમર્પણ ભાવે કરેલી કામગીરીથી મહોત્સવને ચાર ચાંદ લાગી ગયા હતા.

સ્વયંસેવકોની સેવા અને સમર્પણ

આ મહોત્સવમાં જોડાયેલા સ્વયંસેવકોએ સેવા અને સમર્પણનો આદર્શ પૂરો પડ્યો હતો. દ્યણી બધી આર્થિક, વ્યવહારિક અને પારિવારિક તકલીફો વચ્ચે પણ બધાએ ખૂબ સારી સેવા કરી હતી. કડી ગામના ગાંડાભાઈ પટેલ મહોત્સવ પૂર્વે ચાલી ન શકે તેવી પરિસ્થિતિમાં પલંગ પર સુઈ રહેતા. પણ પોતે સેવાના ઈશકથી અક્ષરદેરીની પ્રાર્થના કરીને સાજા થઇ ઉતારા વિભાગની સેવામાં જોડાઈ ગયા. રાત્રે ૨:૩૦ વાગ્યે જાગવાનું, -૪ માળ ચઢવાના વગેરે અનેક પ્રકારે તેઓએ બીમારીને ગોણ કરીને સેવા કરી હતી. તો વળી જેતપુરના ધર્મેશભાઈ રૂપાપરાને મોબાઈલ રીપેરીંગની દુકાન છે. પોતાના ગુજરાનનો એકમાત્ર આધાર આ દુકાનને બંધ કરીને તેઓ ૪૦ દિવસની સેવામાં જોડાયા હતા. તે જ રીતે જસદણના રાજુભાઈ અને અશોકભાઈ સોલંકી પોતાનું હેન્ડીક્રાફ્ટનું કારખાનું બંધ કરીની ૧૦ કારીગરો સાથે સેવામાં ૪૦ દિવસ માટે આવી ગયા હતા. આમ, કેટલાય સ્વયંસેવકો નોકરી-ધંધો ત્યાગ કરી આ મહોત્સવને શોભાડવા પધાર્યા હતા. મુસ્લિમ ભાવિક ભકત એવા મહેબુબભાઈ સૈયદે પણ બીજા ૨ લોકોને સાથે લાવીને દિવસો સુધી ડેકોરેશન વિભાગમાં સેવા કરી હતી. આમ, નાત-જાત, ગરીબ-તવંગર, સ્ત્રી-પુરૂષ વગેરે લૌકિક પરમાણોથી ઉપર જઈને ૧૫૦૦૦ થી વધુ સ્વયં સેવકોએ અક્ષરદેરી સાર્ધશતાબ્દી મહોત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા

 

(11:39 am IST)