Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનતા વાસણભાઇ આહીર

ગુજરાત સરકારમાં મંત્રીપદ મળ્યા બાદ

ગુજરાત સરકારમાં મંત્રીપદ મળ્યા બાદ સમાજ કલ્યાણ મંત્રી વાસણભાઇ આહીર તેમના પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શને આવેલ તે પ્રસંગની તસ્વીર.

પ્રભાસપાટણ, તા. ૩૦ : સોમનાથ મહાદેવના દર્શને ગુજરાત સરકારમાં પ્રધાન મંડળની રચના બાદ સૌ પ્રથમ સોમનાથ મહાદેવના દર્શને સમાજ કલ્યાણમંત્રી વાસણભાઇ આહીર તેમના ધર્મપત્ની સાથે પધારેલ હતાં.

તેમના મંત્રી મંડળમાંથી પ્રથમ વખત વાસણભાઇ આહીર બપોરના ર કલાકે સોમનાથ મહાદેવના દર્શને પધારેલ હતા.

પૂજા અર્ચના તેમજ ગંગાજળ અભિષેક કરેલ, જુના સોમનાથ મહાદેવના પણ દર્શન કરેલ અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરેલ કે મને લોકોના કામો કરવાની શકિત આર્પે વાસણભાઇ આહીરનું સોમનાથ ટ્રસ્ટ વતી સન્માન કરવામાં આવેલ હતું.

સાથે આજોઠા ગામના આહીર સમાજના યુવા અગ્રણી નથુભાઇ સોલંકી સહિતના અગ્રણીઓ જોડાયેલ હતાં.

(11:27 am IST)