Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ડેડાણમાં અમરિષ ડેરની અધ્‍યક્ષતામાં લોકસંપર્ક મિટીંગ યોજાઇ

 ડેડાણ : રોકડીયા હનુમાન મંદિરના સાનિધ્‍યમાં રાજુલા-જાફરાબાદ અને ખાંભાના ધારાસભ્‍ય અમરિષભાઇ ડેરની અધ્‍યક્ષતામાં જાહેર લોકોના સંપર્કની મીટિંગનું આયોજન રાખેલ હતું. જેમાં ડેડાણ, ખાંભા, સાળવા, પીપળીયા ગામના લોકો હાજર રહ્‍યા હતા. અમરિષ ડેરે આ વિસ્‍તારના લોકોના પ્રશ્‍નો ગાંધીનગર વિધાનસભામાં રજૂ કરી લોકોને ન્‍યાય અપાવ્‍યો છે. જેથી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ફરી તેમને જીત અપાવવાનો વિશ્‍વાસ લોકોએ આપ્‍યો હતો. આ મિટીંગમાં રાજકીય નેતાઓ, મિત્રો અને સ્‍નેહીઓ હાજર રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : બહાદુરઅલી હિરાણી ડેડાણ)

(12:02 pm IST)