Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ભાવનગરના ગારિયાધાર પંથકમાં પિતાએ પુત્રની હત્યા કરી લાશ સળગાવી નદીમાં ફેંકી દીધી

પિતા-પુત્ર વચ્ચે વારંવારI ઝઘડો થતો હોય પિતાએ આવેશમાં આવી પુત્રની હત્યા કરી લાશને સળગાવી દોરડા વડે બાંધી ગામના પાદરે આવે ખારો નદીમાં ફેંકી દીધી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લાના ગારીયાધાર ના સાતપડાગામે પિતાએ જુવાન પુત્રની હત્યા કરી લાશને સળગાવી દોરડા વડે બાંધી નદીમાં ફેંકી દીધાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.

ખુનના આ બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે ખારો નદીમા અર્ધ બળેલી  હાલતમાં કોહવાઈ ગયેલ એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા .આ અંગે પોલીસને જાણ કરાતા ગારીયાધાર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી. વી.ધાંગ્રુ સહિતનો પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન આ બનાવ અંગે ચોંકાવનારો વિગતો ખુલવા પામી છે. મૃતક યુવાન સાતપડા ગામે રહેતો હિરેનભાઈ ગભરૂભાઈ ગરણીયા ઉં.વ. 21 હોવાનુ અને તેની હત્યા તેના જ  પિતા  ગભરૂભાઈ રામભાઈ ગરણીયા એ કરી હોવાની ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં મૃતક યુવાનના કાકા અમરાભાઇ રામભાઈ ગરણીયાએ નોંધાવી છે.

 પિતા-પુત્ર વચ્ચે વારંવારI ઝઘડો થતો હોય પિતાએ આવેશમાં આવી પુત્રની હત્યા કરી લાશને સળગાવી દોરડા વડે બાંધી ગામના પાદરે આવે ખારો નદીમાં ફેંકી દીધી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. મૃતક યુવાન ની પત્ની રીસામણે છે. ઘરે પિતા-પુત્ર એકલા જ રહેતા હતા. પિતા-પુત્ર વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો . આ બનાવ અંગે ગારીયાધાર પોલીસે પુત્રની હત્યા અંગે પિતા સામે ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે.

 

(8:11 pm IST)