Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જાલસીકા ગામમાં સોમવારે શ્રીહોલ માતાજીનો બીજ મહોત્સવ ઉજવાશે

મોરબી :  વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં સોમવારે શ્રીહોલ માતાજીનો બીજ મહોત્સવ ઉજવવામાં આવશે.

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં શ્રીહોલ માતાજીનો વાર્ષિક ૧૫ મો બીજ મહોત્સવ તા ૦૨-૦૫ ને સોમવારે માતાજીના મંદિર ખાતે ઉજવાશે જેમાં ધ્વજારોહણ સવારે શુભમુહૂર્તે કરાશે. તેમજ ચંડી યજ્ઞ સવારે ૭ થી બપોરે ૧ કલાક સુધી તેમજ રાત્રીના ૯ કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે કાર્યક્રમમાં સંતો-મહંતો હાજર રહેશે. મહાપ્રસાદ બપોરે અને સાંજે અવિરત ચાલુ રહેશે જેનો ભક્તોએ લાભ લેવા જણાવ્યું છે.

(12:59 am IST)