Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

પાટીદારોને બદનામ કરનાર કાજલ હિન્‍દુસ્‍તાની વિરૂદ્ધ મોરબીમાં પાટીદારોની મહારેલી

રેલી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા નવા બસસ્‍ટેશન સામે થી શરૂ કરી સો ઓરડી પાસે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્‍યું

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૩૦:  કાજલબેન હિન્‍દુસ્‍તાની દ્વારા સુરતની એક સભા પાટીદાર સમાજની દીકરીઓ વાલીઓ માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે કરેલી અભદ્ર અશોભનીય ટિપ્‍પણી,  કરેલા બફાટની વિરુદ્ધમાં સમગ્ર મોરબી જિલ્લાના તમામ પાટીદાર સમાજ દ્વારા મોરબી ખાતે વિશાળ રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતુ.અને કાજલબેન હિન્‍દુસ્‍તાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા એક રેલીનું આયોજન કર્યું હતુ.આ રેલીમાં મોરબી જિલ્લામાં વસ્‍તા તમામ પાટીદાર સમાજને જોડાવવા યુવાનો વડીલો માતાઓ ઉદ્યોગપતિઓને આહવાન કરવામાં આવ્‍યુ હતુ અને વિશાળ સંખ્‍યામાં પાટીદાર સમાજ બાઈક અને કાર સાથે રેલીમાં જોડાયો હતો. રેલી આજરોજ સવારે ૧૦ વાગ્‍યે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા નવા બસસ્‍ટેશન સામે થી શરૂ કરી સો ઓરડી પાસે કલેકટર કચેરી પહોંચી હતી અને આવેદન આપ્‍યુ હતુ. આ રેલીમાં પાટીદાર અગ્રણીઓ એ કે. પટેલ, મનોજ પનારા, પંકજ રાણસરિયા સહિતના આગેવાનો અને બહોળી સંખ્‍યામાં પાટીદારો જોડાયા હતા.

(11:37 am IST)