Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

સાળંગપુરના કષ્ટભંજન દેવ મંદિર ખાતે દાદાને મહાદેવજીનો શણગાર કરાયો

વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન

( વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર:સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને  દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં  આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન-અભિષેક-આરતી કરવામાં આવેલ.
  પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-0૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭-0૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. સ્વામીજી દ્વારા પૂજન-આરતી કરાવી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠ સવારે  ૯ થી ૧૨  અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે. તેમજ  સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ છે.

(7:45 pm IST)