Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

સાવરકુંડલા ખંભાતમાં કોમી તોફાનમાં નુકશાન પામેલા લોકોની મુલાકાતે પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટના અગ્રણીઓ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા : ખંભાત ખાતે થયેલ કોમી એકતા માં નુકશાન પામેલ તેવા લોકો ની  પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના અગ્રણી ઓ એ મુલાકાત કરી હતી. પાછલા દિવસો માં ખંભાત ખાતે ધાર્મિક શોભયાત્રા  દરમિયાન  થયેલા કોમી દગલ માં જે લોકો ને આર્થિક  નુકશાન થયું છે તેવા લોકો ની ગુજરાત પ્રદેશ ના માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ દ્વારા મુલાકાત કરવા માં આવી હતી ત્‍યાં સ્‍થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ત્‍યાં ખંભાત પોલીસ સ્‍ટેશન ના પી આઈ એન આર.ખાંટ સાથે મુલાકાત કરી અને ડોશીતો ને સજા થાય અને નિદોષ લોકો ને કનડગત ના થાય તે પ્રમાણે ની રજુઆત કરવા માં આવી હતી આ મુલાકાત માં ઓલ ઇન્‍ડિયા માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના સેક્રેટરી શાહનવાઝ શેખ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના ચેરમેન વજીરખાંન પઠાણ વાઇસ ચેરમેન નાસિરખાન પઠાણ મહામંત્રી આસિફખાન જોલી પ્રદેશ કૉંગ્રેસ ના આગેવાન ઝફર શેખ અને પ્રતિનિધિ મંડળ હાજર રહેલ હતા. (તસ્‍વીર : અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:52 pm IST)