Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ભાવનગરમાં શેઠ માર્ગ પર વૃક્ષારોપણ

ગ્રીનસીટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યુ છે. અત્યાર

સુધીમાં ૪૭૦૦૦ જેટલા વૃક્ષો રોપી તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૃપે તાજેતરમાં શહેરના વૈદ્ય રસિકભાઇ શેઠ માર્ગ પર શેઠ બ્રધર્સના ભાનુબેન કીશનલાલ શેઠના હસ્તે ૧૧ સપ્તપર્ણી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ. તે સમયની તસ્વીરમાં સાથે શેઠ બ્રધર્સના દેવેનભાઇ શેઠ, મલ્લીકાબેન શેઠ વગેરે નજરે પડે છે.

(12:19 pm IST)