Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ાળીયામિંયાણા પાસે ટ્રેન હડફેટે ખાખરેચીના ખીમજીભાઇ શિયારનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૯: માળિયા મિંયાણાના વાધરવા રેલ્વે ટ્રેક પાસે પેસેન્જર ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માળિયાના ખાખરેચી ગામે રહેતા ખીમજીભાઈ વિહાભાઇ શિયાર (ઉ.૩૩) ગત તા. ૨૮ ના રોજ વાધરવા રેલ્વે ટ્રેક નજીક પેસેન્જર ટ્રેન હડફેટે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો ખીમજીભાઈના મૃતદેહને પી એમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:32 pm IST)