Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

સાવરકુંડલા બેઠકજી ખાતે ચૂંદડી મનોરથ ઉજવાયો

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા. તા. ર૯ :  મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્‍ટ સાવરકુંડલા ખાતે   કારોબારી કમિટીના સહયોગથી શ્રી ગોપી મંડળ (ગાંધી સોસાયટી) ના સંચાલક શ્રી જોસનાબેન ગઢીયા, શિલ્‍પાબેન ચંદારાણા તથા વિલાસબેન સૂચક  તથા ઘણા જ વૈષ્‍ણવોના તન મન અને ધનના સહકારથી શ્રી મહાપ્રભુજી બેઠકજી માં શ્રી યમુનાજી ના ઉત્‍સવની  છઠના દિવસે લોટીજી ઉત્‍સવ તેમજ વૈષ્‍ણવોના ભાવને સમજીને ચૂંદડી મનોરથનો આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અસંખ્‍ય ગોપીજનો દ્વારા શ્રી યમુનાજીના લોટીજી દરેક વૈષ્‍ણવો ઘરેથી સુશોભિત સિંગાર ચુંદડીઓ પધરાવીને  લાવ્‍યા હતા. જે બેઠકજીના હોલમાં પધરાવીને બહેનોએ ભાવપૂર્વક એક સાથે પાઠ સત્‍સંગ કરેલા હતા રાસ ગરબા પણ લીધા હતા ત્‍યારબાદ  વૈષ્‍ણવોએ મહાપ્રસાદ લઈને ધન્‍યતા અનુભવી હતી. બાદ માં શ્રી યમુનાજીના ચુંદડી મનોરથમાં વાજતે ગાજતે સામૈયા કરીને બેઠકજીમાં હજારો વૈષ્‍ણવોની હાજરીમાં ચુંદડીઓ ના રોલ કરી ને શ્રી મહાપ્રભુજીને પધરાવીને શ્રી વલ્લભબાગમાં યમુના કુંડમાં અસંખ્‍ય વૈષ્‍ણવોની હાજરીમાં ચુંદડી મનોરથ કરવામાં આવેલ હતો સાવરકુંડલાના તથા તાલુકાના વૈષ્‍ણવો  તેમજ  જસદણ અને તથા રામધામ ના પ્રમુખ સોનલબેન વસાણી પણ ખાસ હાજર રહ્યા હતા. જાણે વ્રજમાં વિશ્રામઘાટે આ મનોરથના દર્શન કર્યા હોય એવો ભાવસભર ઉત્‍સવ ઉજવાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ શ્રી મહાપ્રભુજી કારોબારી કમિટી ના સભ્‍યશ્રીઓ વિજયભાઈ વસાણી, રાજુભાઈ શિંગાળા અને દરેક સભ્‍યોના સહકારથી ગોપી મંડળના સંચાલક ભાઈઓ અનતુભાઈ ગઢીયા મુકુંદભાઈ ચંદારાણા તથા મંડળના દરેક બહેનો ખૂબ જ પરિશ્રમ લઈને વૈષ્‍ણવોને આ મનોરથમાં સૌને મહાપ્રસાદ  લેવરાવી લોટીજી ઉત્‍સવ તથા ચુંદડી મનોરથનો દર્શન કરાવ્‍યા હતા. વિશેષમાં દરેક મનોરથી ને બેઠકજી તરફથી ચુંદડી તેમજ  ઉપરણા પ્રસાદી તથા વૈષ્‍ણવો એ જે ભેટો પધરાવેલી હતી તે મનોરથીઓને આપવામાં આવેલ હતી તેમ રાજુભાઈ શીંગાળાની યાદીમાં જણાવેલ છે.

 વિશષમાં આગામી શ્રી મહાપ્રભુજી પ્રાગટય ઉત્‍સવ ચૈત્ર વદી ૧૧ ને રવિવાર તારીખ ૧૬:૪:૨૩ ના છૈ જેની ભવ્‍ય ઉજવણી ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં શ્રી મહાપ્રભુજી બેઠકજીના તમામ કારોબારી કમીટિ નાં સભ્‍યો પુરજાષ તૈયારીમાં લાગી ગયા છે દરેક વૈષ્‍ણવો નો અભુતપુર્વ સહકાર સાંપડી રહ્યો છે.

(2:23 pm IST)