Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

ગિરનારના અંબાજી મંદિરે આઠમનો યજ્ઞ

જુનાગઢ : ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની મા અંબાના મંદિરમાં ચૈત્રી નવરાત્રી ના પાવન દિવસોએ આજે આઠમના હવન અષ્ટમીના હવનનું અનેરૂ આયોજન કરાયું હતું. જેમાં મહંત  તનસુખગીરી બાપુ દ્વારા માતાજી સન્‍મુખ હવન અને ધજારોહણ અને મહાપ્રસાદનું અનેરૂ આયોજન કરાયું હતું. જેમાં હજારો માય ભક્‍તોએ માતાજીના યજ્ઞના દર્શન કરી અને ધન્‍ય બન્‍યા હતા.

(2:20 pm IST)