-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
કોડીનારમાં રામનવમી ઉત્સવની તૈયારીઓ શરૂ
કોડીનાર : શહેરમાં વિજયા દશમી મહોત્સવ સમિતિ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહ્યા હતા. નગરને સજાવવામાં આવી રહ્યું છે.ચારે બાજુ કેસરી ઝંડીઓ અને બેનરો લગાવી શહેરનો રામ ભગવાનની જન્મની વધાવવા માટે થનગની રહ્યા છે. શહેરના તમામ સમાજો આ શોભાયાત્રાની તૈયારીમાં લાગી ગયેલા છે. અલગ અલગ ગ્રુપ દ્વારા શોભાયાત્રામાં પોતાના ફ્લોટ્સ રજૂ કરશે. સાથે શોભાયાત્રાના મુખ્ય માર્ગ ઉપર ઠંડા પીણા અને નાસ્તાની પણ વ્યવસ્થા ગ્રુપો દ્વારા કરવામાં આવશે. રામ ભગવાનને બપોરના ૧૨:૦૦ કલાકે રામજી મંદિર મોઢ મહાજન વાડી ખાતે રામ ભગવાનનો જન્મ ઉત્સવ અને આરતી તથા બપોરે ૩:૩૦ કલાકે શોભા યાત્રા તેમજ સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે કોડીનાર તાલુકાના તમામ સમાજના લોકોને આ શોભાયાત્રામાં જોડાવા અને રામ ભગવાનના જન્મોત્સવને વધાવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવલે છે.