Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગીરગઢડા તાલુકા પંડિત દિનદયાલ ભંડાર એસો દ્વારા આવેદન

ઉનાઃ ગીરગઢડા તાલુકા પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર અશોસીએશનએ ગીરગઢડા મામલતદાર કચેરીએ જઇ મામલતદારને લેખીતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે. ગુજરાત ફેરપ્રાઇ સોપ એસોસીએશન અને ગુજરાત રાજય ફેરપ્રાઇસ સોમ એન્‍ડ કેરોસીન લાયસન્‍સ હોલ્‍ડર્સ એસોસીએશને ૧૯/૯/૨૨નાં રોજ સરકારને ગુજરાત રાજય વ્‍યાજબી ભાવની દુકાનદારોના છેલ્‍લા અઢી વરસથી પડેલા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા પડતર પ્રશ્નોનું હકારાત્‍મક નિર્ણય લેવાય તે હેતુ રજુઆત કરીએ છે. અને નહિતર આગામી ૨૧ ઓકટોબર સુધી ગુજરાત રાજયના બન્ને એસોસીએશન દ્વારા વિતરણ વ્‍યવસ્‍થા તેમજ તમામ કામગીરીથી અળગા રહેશું જેમાં ગીરગઢડા તાલુકા એફ.પી.એસ. એસોસીએશન પણ જોડાશે

(12:24 pm IST)