Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

કાલાવડના પડતર પ્રશ્નોની મુખ્યમંત્રીને રજૂઆત

કાલાવડ (શિતલા) : સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા કૃષિમંત્રી આર.સી.ફળદુની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઇ કાલાવડ શહેર અને તાલુકાના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરેલ જેનો હકારાત્મક અભિગમ આપવા સાથે યોગ્ય કરવા ખાતરી આપેલ. આ મુલાકાત સમયે જીલ્લા ભાજપના મહામંત્રી મનોજભાઇ જાની, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ વોરા, મહામંત્રી મહેશભાઇ સાવલીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, ડાયરેકટર જમનભાઇ તારપરા તથા ભાજપ અગ્રણી અભિષેકભાઇ પટવા જોડાયા હતા. કાલાવડ શહેર તાલુકાના પડતર પ્રશ્ને રજૂઆત કરવામાં આવી તે તસ્વીર.

(11:42 am IST)