Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જુનાગઢમાં નિવૃત વૃદ્ધ એસટી કર્મચારીનું હાર્ટએટેકથી મોત

ડુંગરપુરના યુવાનનું બેભાન થઈ જતા મૃત્યુ

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૨૮  : જુનાગઢમાં નિવૃત્ત વૃદ્ધ એસટી કર્મચારીનું હાર્ટ એટેકથી અને ડુંગરપુરના યુવાનનું બેભાન થઈ જતા મૃત્યુ થયું હતું.

જૂનાગઢના મધુરમ વિસ્તારના વૃંદાવન નગરમાં રહેતા એસટીના નિવૃત્ત કર્મચારી દીપક કુમાર અમરદાસ સોલંકી ઉ. વ. ૬૪ને મંગળવારે હાર્ટ એટેક આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ અંગે સી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બેભાન થઈ જતા મોત

જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે સુભાષનગરમાં રહેતા અશ્વિનભાઈ બાબુભાઈ રાઠોડ ઉ. વ. ૪૦ નામના યુવાન પોતાના ઘરે મંગળવારે કોઈ કારણસર બેભાન થઈ જતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે મૃતક યુવાનની માતાનું નિવેદન લઈ પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

(11:41 am IST)