Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સાવરકુંડલામાં લોકપ્રશ્નો સાંભળતા પ્રતાપ દુધાત

સાવરકુંડલાઃ સાવરકુંડલા લીલીયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા બનેલા નવયુવાન ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાતે પ્રજાના પ્રશ્નોનો યુદ્ધના ધોરણે ઉકેલ લાવવા લોકો પાસે જાતે જઈ લોક સમસ્‍યાઓ જાણી રહ્યા છે અને લોકોના પ્રશ્નો અવરીતપણે ઉકેલી આપવાની ખાત્રી પણ આપી હતી. ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત સમક્ષ પ્રશ્નોની રૂબરૂ રજૂઆત કરતા સાવરકુંડલા તાલુકા પંચાયતના માજી પ્રમુખ બબલાભાઈ ખુમાણ તથા નાથાભાઈ ભરવાડ, મગનભાઈ, મનુભાઈ ડાવરા, બાબુભાઈ કુબાવત, સતિષ મહેતા વિગેરે આગેવાનો દ્રષ્‍ટિગોચર થાય છે (તસ્‍વીર-અહેવાલઃ ઈકબાલ ગોરી-સાવરકુંડલા)

(10:02 am IST)