Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

કેશોદના બાવાની પીપળી અને સિલોદર ગામે કૂવામાં ખાબકતા બે પરિણિતાના મોત

જૂનાગઢ તા. ર૬ :.. કેશોદનાં બાવાની પીપળી અને સિલોદર ગામે કુવામાં ખાબકતા પરીણિતાનું મોત થયું હતું.

કેશોદ તાલુકાના બાવાની પીપળી ગામનાં મહેશ કરશનભાઇ પરમારની પત્ની માલીબેન (ઉ.ર૭) પરિણિતાએ ઠપકો સહન નહિ થતાં કુવામાં ઝંપલાવીને મોતને મીઠુ કરી લીધું હતું.

જયારે સિલોદર ગામની માલીબેન કમલેશ વાડા (ઉ.ર૧) નામની પરીણિત યુવતીનું કોઇ કારણસર કુવામાં પડી જવાથી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજયું હતું.

બંને પરીણિતાનાં મોતની તપાસ કેશોદનાં એએસપી સંજય ખેરાન ચલાવી રહ્યા છે.

(4:40 pm IST)