Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

અમરેલી પાસે રિક્ષા પલ્ટી જતા જાળીયાનાં હિંમતભાઇ વાડદોરીયાનું મોતઃ ૪નો બચાવ

અમરેલી તા. ર૬ :.. અમરેલીમાં ધારી રોડ પર લોકોને ભરીને અમરેલી આવી રહેલી બહાર રીક્ષા પલ્ટી જતાં એક વ્યકિતને ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે ૪ વ્યકિતઓનો ચમત્કારીક  બચાવ થયો હતો.

જાળીયા ગામે રહેતા હિંમતભાઇ મનસુખભાઇ વાડદોરીયા (ઉ.૪પ) વાળા પોતાના ગામથી અમરેલીમાં શાકભાજી લેવા માટે આવતા હતા અને એક ભાર રીક્ષામાં બેઠા હતાં. આ રીક્ષામાં બીજા પણ ૪ થી પ વ્યકિતઓ હતાં. આ રીક્ષા અમરેલી નજીક  રાધેશ્યમ હોટેલ અને રોકડનગરની વચ્ચે પહોંચી ત્યારે એકાએક જ રીક્ષાના ચાલકે કાબુ ગુમાવવાના કારણે પલ્ટી મારી જતાં હિંમતભાઇને ગંભીર ઇજાઓ થતા તેમને ૧૦૮ મારફતે સારવાર માટે ગંભીર હાલતમાં અમરેલીની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. અન્ય વ્યકિતઓને સામાન્ય ઇજાઓ થઇ હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇને આગળની તપાસ હાથ ધરી છે.

(4:38 pm IST)