Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ભુદેવો દ્વારા બ્રહ્મઆયોગની રચના માટે ગાંધીનગરમાં ભવ્ય રેલીનું આયોજન

ભારતના બેત્રણ રાજયોમાં બ્રહ્મઆયોગની રચના સરકારે કરી હોય ગુજરાતમાં પણ આવી રીતે આયોગની રચના કરવા માંગ

ખંભાળીયા તા.ર ૬:  બ્રહ્મસમાજના કર્મકાંડી બ્રાહ્મણોની અગામી ર૩ જાન્યુઆરીના રેલીનું આયોજન અમદાવાદના ગાંધી આશ્રમથી ગાંધીનગર મહાત્મા મંદિર કરાયુ઼ હોય તેના અનુસંધાને દેવભૂમિ જિલ્લામાંં આ આંદોલનના કાર્યકર્તાઓનું  આગમન થયું હતું. તથા બ્રાહ્મણો સાથે મિટીંગ પણ યોજાઇ હતી.

મિલનભાઇ શુકલા, દિક્ષીતભાઇ ઉપાધ્યાય, મનોજભાઇ જોશી, ભરતભાઇ જાની તથા મહેતાભાઇની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ ખંભાળિયા આવ્યું હતું તથા બ્રાહ્મણોની મીટીંગ રામનાથ મંદિર ખાતે રાખવામાં આવી હતી જેમાં લીલતભાઇ શુકલા, દિક્ષીતભાઇ, ભરતભાઇ જાની તથા મનોજભાઇ જોષીએ તથા લીલાભાઇ ભોગાયતા તથા હિતેષભાઇ આચાર્યએ વકતવ્યો કર્યા હતા.

ભારતના બેત્રણ અન્ય રાજયોમાં બ્રહ્મઆયોગની રચના સરકારે કરી હોય ગુજરાતમાં પણ આવી રીતે આયોગની રચના કરવા માંગ કરાઇ છે.

સંચાલન નટુભાઇ રાજયગુરૂએ કર્યું હતું. તથા બ્રહ્મસમાજના ટ્રસ્ટી મોહનભાઇ મોકરીયા, અજીતભાઇ, અમિતભાઇ જોષી, મુકેશભાઇ દાત્રાણાવાળા, વડપણરાજય ગુરૂભાઇ વિ. ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)