Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

શ્રી સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને શ્રૃંગાર

વાંકાનેરઃ બોટાદ તાલુકાનુ સુપ્રસિધ્ધ યાત્રાધામ  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દશેરા પર્વે કાલે મંગળા આરતી સવારે ૬.૩૦ કલાકે તેમજ શણગાર આરતી ૭ કલાકે પૂજારી શ્રી ધર્મ કિશોરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ સંધ્યા આરતી સાંજના ૬.૩૦ કલાકે કરવામાં આવેલ હતી. તેમજ દાદાને ગદા, તલવાર વગેરે ધરાવી દાંડીયા તથા ભરતકામ વાળા વિશેષ વસ્ત્રોનો વિશેષ શણગાર ધરવામાં આવેલ જેના વિશેષ શણગારના દર્શનનો લાભ વિશાળ સંખ્યામાં હરી ભકતોએ લાભ લીધેલ હતો.

(11:42 am IST)