Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કાલે અર્જુનભાઇ મોઢવાડીયા ન્યાયયાત્રા સાથે જુનાગઢમાં

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૬:  કોવિડથી મૃત્યુ પામેલાઓના વારસદારોને રૂપિયા ૪ લાખનું વળતર આપવા અને કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલ્સની રકમની ચુકવણી તથા સરકારી તંત્રની ધોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ તથા કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/ પરિવારજનો પૈકી કાયમી નોકરી આપવાની માંગણી સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજયમાં એક ન્યાયયાત્રાનું આયોજન કરેલ છે  જેના ભાગરૂપે જુનાગઢ સીટીમાં કોરોનામા અવસાન પામેલ લોકોના વારસદારોને સહાય મળે માટે ફોર્મ ભરવા અને સાંત્વના આપવાના જુનાગઢ સીટીમાં આવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના  પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા તથા તેમની સાથે સ્થાનિકેથી જોડાશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકીયા તથા જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલ તથા જુનાગઢ ધારાસભ્ય ભીખાભાઇ જોષી તથા વિસાવદરના ધારાસભ્યશ્રી હર્ષદભાઇ રીબડીયા તથા માંગરોળ-માળીયાના ધારાસભ્ય શ્રી બાબુભાઇ વાજા તથા જિલ્લા પંચાયત જુનાગઢ વિપક્ષ નેતાશ્રી હમીરભાઇ ધુળા વિગેરે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે. તેમ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.ટી.સીડાની યાદીમાં જણાવેલ છે.

(12:55 pm IST)