Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

ભાવનગર જિલ્લાના કુડા ગામે માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું મોત

(મેધના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૨૬ ; ભાવનગર જિલ્લાના બ ઘોઘા ની બાજુમાં આવેલ  કુડા ગામે શિકોતર માતાજીના ૨૪ કલાકના નવરંગા માંડવાનું ગોહિલ પરીવાર દ્વારા આયોજન કરાયું હતું જેમાં કુડા ગામે રહેતા કુટુંબ ના ભુવા મકાભાઈ દાનાભાઈ ગોહિલ,ઉ.65 ના શરીરમાં દૈવીશક્તિ નો પ્રવેશ થયો હોય એમ માંડવામાં ધુણતાં હતા તે સમયે અચાનક જ ઢળી પડ્યા હતા,જેથી ત્યાં હાજર લોકો દ્વારા તેમને ત્યાંથી તાત્કાલિક કોળિયાક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યા ફરજ પરના તબીબે આ આધેડભૂવાને મૃત જાહેર કર્યા હતા, આ અઘટીત બનાવને પગલે નાનકડા એવા સમગ્ર કુડા ગામમાં ધર્મમય વાતાવરણ ના સ્થાને ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

(8:47 pm IST)