Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં મૃતકોને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા પૂ.મોરારિબાપુ

રાજકોટ તા.૨૬  પોરબંદર ના દેગામ નજીક એક કાર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કિંદરખેડા ગામના ચાર આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ નિપજયા હતાં અને અનેક મુસાફરોને ઈજાઓ પણ થઈ હતી. 

  આ સમાચાર મળ્યા વાંચ્યા બાદ પૂ. મોરારીબાપુએ ચારે મૃતક યુવાનો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારજનોને ₹11,000 લેખે કુલ 44 હજાર રૂપિયાની હનુમંત સંવેદના સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. પોરબંદર સ્થિત રામકથાના શ્રોતા દ્વારા રૂબરૂ જઈને ચારેય મૃતક યુવાનોના પરિજનોને આ સંવેદના રાશિ તેમજ એક રામનામની શાલ પહોંચતી કરવામાં આવી રહી છે. ચારેય મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિજનોને દિલસોજી પાઠવી છે.તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

(2:36 pm IST)