Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

રાજકોટ જિલ્લાના ચાર તાલુકામાં ચાર ઇંચથી ઓછો વરસાદ: દુષ્કાળની ભીતિ

આ એરિયામાં 2 લાખ હેકટરમાં ચોમાસુ પાક નિષ્ફ્ળા જવાની દહેશત

રાજકોટ :સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાએ મહેર ન કરતા પાક અને પાણીનું ચિત્ર ચિંતાજનક ઉપસી રહ્યું છે અનેક તાલુકામાં દુષ્કાળની સ્થિતિ ઉભી થઈ રહી છે.

રાજકોટ જિલ્લાના જ ચાર જેટલા તાલુકામાં ચાર ઇંચ કરતા ઓછો વરસાદ પડતાં આ વિસ્તારના આગેવાનોએ વહેલી તકે દુષ્કાળ જાહેર કરવા માગણી કરી રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં પડધરી, વીંછીયા, જસદણ અને જેતપુર તાલુકાના ગામડાઓમાં અત્યાર સુધીમાં ચાર ઇંચ કરતા પણ ઓછો વરસાદ પડ્યો છે.

પંચાયતોએ વરસાદના આપેલા આંકડા ચિંતા ઉપજાવે છે. આ એરિયામાં 2 લાખ હેકટરમાં ચોમાસુ પાક નિષ્ફ્ળા જવાની ભીતિ સેવાઇ રહી છે.

(7:49 pm IST)