Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કાલે અમરેલી ખાતે ‘હર હર ધ્‍યાન' કાર્યક્રમ યોજાયો

અમરેલી તા.૨૫: ભારત સરકારના આયુષ મંત્રાલય અને આર્ટ ઓફ લીવીંગ ઉપરાંત રાજય યોગ બોર્ડના સંયુક્‍ત ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં ‘હર ઘર ધ્‍યાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સમગ્ર રાજયની સાથે ઓપન એર થિયેટર, ગાંધીબાગ, અમરેલી ખાતે પણ આ કાર્યક્રમ રવિવારના રોજ સવારે ૬ વાગ્‍યે યોજાશે. કાર્યક્રમ વિષયક વધુ વિગતો અને માહિતી માટે  સુભાષભાઈ પારેખ (આર્ટ ઓફ લીવીંગ, શિક્ષક) મો. ૯૮૨૫૭ ૪૬૭૬૭ અને જયદિપભાઈ ચૌહાણ રાજય યોગ બોર્ડ- અમરેલી જિલ્લા કો-ઓર્ડિનેટરનો મો. ૯૭૨૩૫૫૬૬૭૯ પર સંપર્ક કરવો. વધુમાં વધુ લોકોને આ કાર્યક્રમમાં જોડાવા માટે અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

(1:29 pm IST)