Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વાંકાનેર સદગુરૂ આનંદ આશ્રમે પૂ.હરીચરણદાસજી મહારાજની સોમવારે જન્‍મજયંતિ ઉજવાશે

ગોંડલ રામજી મંદિરના મહંત શ્રી જયરામદાસજી મહારાજના આર્શિવાદ સાથે સંગીતમય રામધુન-હનુમાન ચાલીસાના સમુહ પાઠ - મહાઆરતી તથા સમગ્ર શિષ્‍ય પરિવાર માટે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

(હિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૨૫: વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ સદ્‌ગુરૂદેવ સ્‍વામી પ.પુ.શ્રીહરિચરણદાસજી પ્રેરીત શ્રી સદ્‌ગુરૂ આનંદ આશ્રમ ખાતે આગામી તા.૨૭-૩-૨૩ને સોમવારના રોજ મહામંડેશ્વ ૧૦૦૮ સદ્‌ગુરૂદેવ પ.પુ.શ્રી હરીચરણદાસજી મહારાજની ૧૦૧ (એકસો એક)મી જન્‍મજયંતી ધામધુમથી ઉજવાશે.

કાર્યક્રમના પ્રારંભે પ.પુ.સદ્‌ગુરૂદેવશ્રીના પાદુકા પુજન સમગ્ર શિષ્‍ટા પરિવારો દ્વારા થશે ત્‍યારબાદ સાંજે પાંચ કલાકથી સંગીતમય રામધુન તથા શ્રી હનુમાન ચાલીસાના સમુહ પાઠ યોજાશે.

ત્‍યારબાદ સાંજે ૭.૪૫ કલાકે મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. મહાઆરતી બાદ સમસ્‍ત સદ્‌ગુરૂ શિષ્‍ય પરિવારો માટે મહાપ્રસાદનું રૂડુ આયોજન કરેલ હોય તો તમામ સદ્‌ગુરૂ શિષ્‍ય પરિવારોને શ્રી રામધુન, શ્રી હનુમાન ચાલીસાના સમુહ પાઠ તથા મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લેવા શ્રી સદ્‌ગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્‍ટીઓ દ્વારા જાહેર નિમંત્રણ સાથે યાદીમાં જણાવ્‍યુ છે.

(1:16 pm IST)