Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પોરબંદર જિલ્લામાં આધારકાર્ડમાં સુધારા માટે શનિ-રવિમાં જન સેવા કેન્‍દ્રો ખુલ્લા રહેશે

પોરબંદર, તા.૨૫: પોરબંદરની જિલ્લાના જનસેવા કેન્‍દ્રો શનિ રવિની રજામાં ખુલ્લા રહેશે. જનસેવા કેન્‍દ્રમાં નાગરિકો આધારકાર્ડ સુધારો કરાવી શકશે. આધારકાર્ડની કામગીરી માટે પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તથા માધવપુર ખાતે કાર્યરત જનસેવા કેન્‍દ્રો તા.૨૫ શનિવાર તથા તા.૨૬ને રવિવારના રોજ રજાના દિવસોમાં પણ ચાલુ રહેશે. પોરબંદર જિલ્લામાં રહેતા અરજદારોને આધારકાર્ડમાં સુધારો વધારો કરાવવો હોય તો તા.૨૫ અને તા.૨૬ના રોજ રજાના દિવસોમાં પણ નજીકના જનસેવા કેન્‍દ્ર સુધારો કરાવી શકાશે. રજાના દિવસોમાં પણ કર્મચારીઓ જનસેવા કેન્‍દ્ર ખાતે ફરજ બજાવશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

(1:11 pm IST)