Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મોરબી :શહીદ દિવસ નિમિતે આમ આદમી પાર્ટીએ મશાલ પદયાત્રા યોજી

મોરબીઃ ૨૩ માર્ચના દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્‍યારે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ દિવસ નિમિતે મશાલ પદયાત્રા યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ, આગેવાનો અને કાર્યકરો મશાલ પદયાત્રામાં જોડાયા હતા જેમાં દેશના વીર ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના બલિદાનને યાદ કરી શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

(1:08 pm IST)