Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પોરબંદર પાસે ખાનગી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં કિંદરખેડાના ૪ યુવાનોના મૃત્‍યુ

અકસ્‍માત સ્‍થળે ર યુવાનોના મૃત્‍યુ તથા સારવાર દરમિયાન અન્‍ય ર યુવાનોએ જીવ ગુમાવ્‍યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.રપ : નજીકના દેગામ પાસે ખાનગી બસ અને કારની વચ્‍ચે અકસ્‍માતમાં કિંદરખેડાના ૪ યુવાનોના મૃત્‍યુ થયેલ હતા અને અન્‍ય ૬ વ્‍યકિતઓને ઇજા થતાં ઇજાગ્રસ્‍તોને પોરબંદરની સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

દેગામ પાસે ખાનગી બસ અને કારના અકસ્‍માતમાં પોરબંદરના કિંદરખેડાના ૪૦ વર્ષના હરદાસભાઇ હમીરભાઇ મોઢવાડીયા (ઉ.વ.૪પ) રામભાઇ વીરમભાઇ ઓડેદરા (ઉ.વ.રર) હિતેષભાઇ રામદેભાઇ કેશવાલા અને રામભાઇ સવદાસભાઇ મોઢવાડિયા (ઉ.વ.૪પ)ના મૃત્‍યુ નિપજવયા હતા. આ અકસ્‍માતમાં પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર વિસ્‍તારમાં રહેતા વિનોદભાઇ નાથાલાલ માવદિયા, રેખાબેન વિનોદભાઇ માવદિયા, ખાપટના અરજણભાઇ પેથાભાઇ સહિત ૬ વ્‍યકિતઓને ઇજા થઇ હતી.

પોરબંદર પાસે ત્રણ માઇલથી અડવાણા થઇ જામનગર જતા હાઇવે પર બપોરના સમયે આ અકસ્‍માતમાં પોરબંદરથી જામખંભાળિયા જતી ટ્રાવેલ્‍સ બસ અને કાર વચ્‍ચે દેગામ ગામના પાટીયા પાસે દુર ટકકર થઇ હતી. ફુલસ્‍પીડે આવી રહેલા બંન્‍ને વાહનો વચ્‍ચે સર્જાયેલા આ અકસ્‍માતમાં કિંદરખેડાના ૪૦ વર્ષના હરદાસભાઇ હમીરભાઇ મોઢવાડીયા, કિંદરખેડાની કામીયુસીમમાં રહેતા રામભાઇ વિરમભાઇ ઓડેદરાના ઘટનાસ્‍થળે મૃત્‍યુ નીપજયા હતાં.

જયારે કિંદરખેડાના હિતેશભાઇ કેશવાલા ઉ.વ.રર અરજનભાઇ પેથાભાઇ (ઉ.વ.૩પ) રોકડીયા હનુમાન મંદિર વિસ્‍તારમાં રહેતા વિનોદભાઇ નાથાલાલ માવદિયા (ઉ.વ.૪૮) તથા રેખાબેન વિનોદભાઇ માવદિયા ઉ.વ.૩૪ અને કિંદરખેડાના રામભાઇ સવદાસભાઇ મોઢવાડિયા ઉ.વ.૪પને ઇજાઓ થતા સારવાર માટે એમ્‍બ્‍યુલન્‍સ ૧૦૮ મારફતે સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલ લાવવામાં આવ્‍યા હતા. જેમાં પોરબંદરની ભાવસિંહજી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે લવાયેલા હિતેશ કેશવાલા અને રામ મોઢવાડીયાની સ્‍થિતિ ગંભીર રહેતા હોવાથી વધુ સારવાર માટે તેઓને બહારગામ લઇ જવાયા હતા. ત્‍યારે રસ્‍તામાં આ બંને યુવાનોના હિતેશ કેશવાલા અને રામ મોઢવાડીયા મૃત્‍યુ નીપજયા હતા.

આ બનાવની જાણ થતા સીટી ડીવાયએસપી નીલમ ગોસ્‍વામી તથા ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને ટ્રાફિક નિયમન સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. સેવાભાવી યુવાનો અને લોકો ઘટના સ્‍થળે બચાવ કામગીરીમાં જોડાયા હતા.

(1:03 pm IST)