Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પોરબંદર પાસે જીવલેણ અકસ્‍માત સમયે કોંગ્રેસના આગેવાનો દોડી જઇને મદદરૂપ બન્‍યાં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.રપ : દેગામ પાસે થયેલા જીવલેણ અકસ્‍માત સમયે મદદે કોંગી આગેવાનો દોડી ગયા હતા અને આઇસીયુ  વાનની કરી આપી વ્‍યવસ્‍થા તથા પોસ્‍ટમોર્ટમ સહિત પોલીસની કાર્યવાહી કરાવવામાં પણ બન્‍યા મદદરૂપ દેગામ નજીક ટ્રાવેલ્‍સ અને કાર વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં ચાર યુવાનોના મોત નીપજયા છે. ત્‍યારે ઇજાગ્રસ્‍તો અને મૃતકોની મદદે કોંગી આગેવાનો દોડી ગયા હતા.  ઇજાગ્રસ્‍તોની મદદ માટે સીવીલ હોસ્‍પિટલ ખાતે ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાના નાનાભાઇ રામદેવભાઇ મોઢવાડીયા સહિત દેવશીભાઇ મોઢવાડીયા, કેશુભાઇ વાઢેર અને અન્‍ય સેવાભાવી કાર્યકરો પહોંચી ગયા હતા અને હોસ્‍પિટલે ઇજાગ્રસ્‍તોની મદદ કરવાની ગંભીર રીતે ઘવાયેલા બે યુવાનોને સારવાર માટે રાજકોટ લઇ જવા પડે તેમ હોવાથી હેલ્‍થ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત આઇ.સી.યુ. વાન અને કેતનભાઇ ગજજર પરિવાર દ્વારા અર્પણ  થયેલ આઇ.સી.યુ. વાન મારફતે લઇ જવાની વ્‍યવસ્‍થા ગોઠવી આપવામાં આવી હતી. પરંતુ કમનસીબે બંને યુવાનોના મોત થયા છે. ત્‍યારે પોસ્‍ટમોર્ટમ સહિત સમયસર અંતિમવિધિ માટે પોલીસની કાગળની કાર્યવાહીમાં પણ તેઓની તેમની સાથે રહયા હતા.

(12:59 pm IST)