Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ગોંડલમાં સોમવારે લોહંલંગરી બાપુનો ૫૯મો પાટોત્‍સવઃ અન્‍નપૂર્ણેશ્વરી માનુ કંચનબાની ૧૪મી પુણ્‍યતીથી ઉજવાશે

રાજકોટઃ ગોંડલ મુકામે વડવાળી જગ્‍યા ભગવતપરા લોહંલંગરી બાપુની ચેતન સમાધી મંદિર અન્‍નક્ષેત્ર લોહંધામ પવિત્ર ધર્મસ્‍થાનમાં તા.૨૭ને સોમવારે ધામેધુમે ધર્મોત્‍સવ ઉજવાશે.

રામયજ્ઞ સવારે ૭ કલાકે, બીડુ ૧૧ કલાકે હોમાશે. માતુશ્રી કંચનબાની પુણ્‍યતીથી નિમિતે મહાપ્રસાદ ૧૧ કલાકે શોભાયાત્રા ૪ કલાકે, હરીપ્રસાદ સાંજે ૭ કલાકે, સંતવાણી રાત્રે ૯ કલાકે પુનમબેન ગોંડલીયા, મહિપતસિંહ જાડેજા સાહિત્‍યકાર, જેન્‍તીભાઈ ગોંડલીયા, શૈલેષ મહેતા, રાજુભાઈ પટેલ વગેરે કલાકારો જમાવટ કરશે. આ ધર્મોત્‍સવમાં પધારવા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત સીતારામબાપુ  જમનાદાસ ગોંડલીયા દ્વારા આમંત્રણ અપાયું છે.

(11:58 am IST)