Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જસદણના ખોડીયાર મંદિરે મંગળવારે રપમો પાટોત્‍સવ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. રપ :.. શહેરના ચિતલીયા કુવા રોડ નજીક આવેલ વિખ્‍યાત આઇશ્રી ખોડીયાર માતાજીના મંદિરનો રપમો વાર્ષિક પાટોત્‍સવ આગામી તા. ર૮ ને મંગળવારે થશે જેમાં ગુજરાત સહિત દેશ - વિદેશમાં વસતા હજારોની સંખ્‍યામાં હીરપરા પરિવારના સભ્‍યો મંગળવારે જસદણ પધારશે આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

પાટોત્‍સવ નિમિતે સોમવારની પૂર્વ સંધ્‍યાએ માતાજીના ગરબા ગવાશે ત્‍યારબાદ બીજા દિવસે મંગળવારે સવારથી રપમો પાટોત્‍સવ શરૂ થશે આ પાટોત્‍સવના મુખ્‍ય યજમાન દીપકભાઇ રણછોડભાઇ હીરપરા છે. આ અંગે આયોજકોએ પાણીથી લઇ આરોગ્‍ય સુધીની ભાવિકોની કાળજી લઇ તૈયારીઓ હાથ ધરી છે.

(12:39 pm IST)