Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

શેત્રુંજી ડેમ પાસે વડલાની ડાળીએ આધેડનો આપઘાત

મૃતક ભાવનગરના હોવાનું મળેલી ચિઠ્ઠીના આધારે ખુલ્‍યુ

ભાવનગર,તા. ૨૫: પાલીતાણા નજીક આવેલ શેત્રુંજી ડેમ પાસે આવેલ વડલાના ઝાડની ડાળીએ આધેડ ગળાફાંસો ખાધેલી હાલતે મળી આવતા પાલીતાણા રૂરલ પોલીસને જાણ કરવામાં આવતા પાલીતાણા રૂરલ પોલીસ કાફલો શેત્રુંજી ડેમ દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેના આધારે મૃતક ભાવનગરમાં રહેતા ઉમેશભાઈ કે.પટેલ હોવાનું ખુલ્‍યું હતું.

પાલીતાણા રૂરલ પોલીસે મૃતદેહને હોસ્‍પિટલ ખસેડી સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરમાં શ્રીમેલડી માતાનાં મંદિરે રામચરીત માનસકથાનો આજથી પ્રારંભ

ભાવનગર શહેરના કાળીયાબીડ ખાતે આવેલ શ્રી મેલડી માતાના મંદિર ખાતે તા.૨-૪-૨૩ રવિવાર ચૈત્રસુદ-૧૨ સુધી શ્રી રામચરીત માનસ નવાન્‍દ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેની પોથીયાત્રાᅠ તા.૨૫ સાંજે ૪ વાગે શ્રી મહાવીરસિંહ કનુભા ગોહિલનાં નિવાસ સ્‍થાન ચિત્રા ચામુંડા સોસાયટી, પ્‍લોટ નં.૬ થી વાજતે-ગાજતે કથા સ્‍થળ મેલડી માતાનાં મંદિરે જશે. શ્રી અરવિંદ દાસ બાપુ ગોંડલીયા નેસવડ વાળા સંગીતમય કથાનું રસપાન કરાવશે.સૌ ધર્મપ્રેમી નગરજનો તથા આગેવાનો કથા શ્રવણ કરવા આયોજક મહંતશ્રી રઘુગીરી દયાળગીરીᅠ તથા મનહરગીરી દયાળગીરી,પુજારી શ્રી મુકેશગીરી દયાળગીરી તેમજ સેવક સમુદાય દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(1:04 pm IST)