Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ધોરાજીમાં દરગાહ નજીક ગંદકીના ગંજ : લોકોમાં રોષ

( ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા)ધોરાજી તા. ૨૫ : ધોરાજીના ખ્‍વાજા સાહેબની દરગાહ નજીક અને બહાર પુરામા છેલ્લા છ માસ મહિનાથી વિસ્‍તારમા સાફ-સફાઈ નથી કરવામા આવતી અને આગામી દિવસોમાં રમજાન માસ શરૂ થવાનો હોય અને ધાર્મિક જગ્‍યાએ લોકો બદંગી કરવા માટે  વિસ્‍તારમાથી લોકો નિકળવાના હોય પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરીઓ નથી કરવામા આવી. જેથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાય છે. તેથી સ્‍થાનિક લોકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરેલ અને નગરપાલિકા કચેરી દ્વારા સાફ-સફાઈ નિયમિત કરવામા આવે તેવી માંગ કરાઈ છે.

(10:26 am IST)