Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ખોડલધામમાં ચૈત્રી નવરાત્રિમાં મહિલા સમિતિ દ્વારા ઉત્‍સવો

જલારામ વિરપુર : ખોડલધામ મંદિર ખાતે ભક્‍તિમય માહોલની વચ્‍ચે ચૈત્રી નવરાત્રિની ઉજવણીનો પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રી ખોડલધામ મંદિરે ચૈત્રી નવરાત્રીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેન  નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. ચૈત્રી નવરાત્રિ નિમિતે ખોડલધામ મંદિરે અલગ અલગ ભક્‍તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં કળશ સ્‍થાપના ગરબા ઉત્‍સવ, લાપસી ઉત્‍સવ, ચૂંદડી ઉત્‍સવ, યજ્ઞ ઉત્‍સવ તેમજ દીપ યજ્ઞ તેમજ ઘ્‍વાજાજી રોહણનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં  પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટની મહિલાઓ દ્વારા કળશ સ્‍થાપના કરી માં ની ભક્‍તિ માટે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રથમ નોરતે રાજકોટ, કોટડા સાંગાણી, માણેકવાડા વગેરે ગામોની મહિલા સમિતિની બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી હતી.અને આજે નોરતાનો પ્રથમ દિવસ હોવાથી મોટી સંખ્‍યામાં ભાવિકો પણ મંદિર દર્શનાર્થે ઉમટી પડ્‍યા હતા અને માં ખોડલના દર્શનનો લ્‍હાવો લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : કિશન મોરબીયા જલારામ વિરપુર)(

(10:24 am IST)