Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પ્રભાસ પાટણમાં ચેટીચાંદ નિમિત્તે સિન્‍ધી સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી

પ્રભાસ પાટણ : પ્રભાસ પાટણ મા આજે ચેટીચાંદના પવિત્ર તહેવાર નિમિત્તે સિન્‍ધી સમાજ ના દરેક લોકોએ પોતાના કામધંધા બંધ રાખીને શોભાયાત્રામાં જોડાયા હતા. વહેલી સવારે ઝુલેલાલને દુધથી નવડાવેલ તેમજ ભજન કિર્તન બપોરના ભોજન અને ત્‍યારબાદ ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવેલ. જેમાં દાંડીયાની રમઝટ સાથે આયોલાલ ઝુલેલાલ જયઘોષ કરવામાં આવેલ. આ શોભાયાત્રા ચોગાન ચોકથી પ્રસ્‍થાન થઇ દરજીવાડા, રામમંદિર, ભોયવાડા, લાબીશેરી થઇ અને સોમનાથ મંદિરથી દરીયા કિનારે મહાઆરતી કરવામાં આવેલ અને શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવેલ. શોભાયાત્રાના રૂટમાં ઠેક ઠેકાણે ચા નાસ્‍તો ઠંડા પીણા સહિતના સ્‍ટોલ રાખવામાં આવેલ. જુદા જુદા સમાજો દ્વારા શોભાયાત્રાનું સ્‍વાગત કરવામાં આવેલ. આ શોભાયાત્રામાં સિન્‍ધી સમાજના તમામ આગેવાનોએ હાજરી આપી હતી. (તસ્‍વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(10:20 am IST)