Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ભાવનગરમાં શ્રી મેલડી માતાનાં મંદિરે રામચરીત માનસકથાનો કાલથી પ્રારંભ થશે

વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર શહેરના કાળીયાબીડ ખાતે આવેલ શ્રી મેલડી માતાના મંદિર ખાતે તા.૨૫-૩-૨૩ ચૈત્રસુદ-૪ ને શનિવારથી તા.૨-૪-૨૩ રવિવાર ચૈત્રસુદ-૧૨ સુધી શ્રી રામચરીત માનસ નવાન્દ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેની પોથીયાત્રા  તા.25 સાંજે ૪ વાગે શ્રી મહાવીરસિંહ કનુભા ગોહિલનાં નિવાસ સ્થાન ચિત્રા ચામુંડા સોસાયટી, પ્લોટ નં.૬ થી વાજતે-ગાજતે કથા સ્થળ મેલડી માતાનાં મંદિરે જશે. શ્રી અરવિંદ દાસ બાપુ ગોંડલીયા નેસવડ વાળા સંગીતમય કથાનું રસપાન કરાવશે.સૌ ધર્મપ્રેમી નગરજનો તથા આગેવાનો કથા શ્રવણ કરવા આયોજક મહંતશ્રી રઘુગીરી દયાળગીરી  તથા મનહરગીરી દયાળગીરી,પુજારી શ્રી મુકેશગીરી દયાળગીરી તેમજ સેવક સમુદાય દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

(11:25 pm IST)