Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મોરબીના જોધપર નદી ગામે ટેક્ષી ડ્રાઈવરનું કોઈ કારણોસર મોત.

મોરબી તાલુકાના જોધપર નદી ગામે ભાડા માટે આવેલ ટેક્ષી ડ્રાઈવરનું કોઈ કારણોસર મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
અમદાવાદના રહેવાસી અમરશીભાઈ ખેમચંદ પટેલ (ઉ.વ.૪૬) પોતે પ્રિયમભાઈ કાપડિયાને પોતાની ટેક્ષીમાં જોધપર નદી મેટ્રો રિસોર્ટ પાર્ટી પ્લોટ ખાતે લાવ્યા હોય અને પોતે ટેક્ષીમાં બેસેલ હોય જેને અન્ય ડ્રાઈવરે જગાડતા કોઈ કારણોસર તેનું મોત થયાનું ખુલ્યું હતું જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:43 pm IST)