Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કાલ બપોરે 2.30 વાગ્યે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાવનગર ખાતે વડાપ્રધાનની સુરક્ષાનું નિરીક્ષણ કરશે

બપોરે 2.30 વાગ્યે એરપોર્ટ આવ્યા બાદ સભા સ્થળ જવાહર મેદાન ખાતે જશે :અધિકારીઓ સાથે બેઠક કરી વડાપ્રધાનની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરશે

ભાવનગર : તા.29 ના રોજ ભાવનગર માં વડાપ્રધાનનો કાર્યક્રમ છે ત્યારે આવતીકાલ બપોરે 2.30 વાગ્યે રાજ્ય ના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાવનગર ખાતે વડાપ્રધાન ની સુરક્ષા નું નિરીક્ષણ કરવા આવી રહ્યા છે.

બપોરે 2.30 વાગ્યે એરપોર્ટ આવ્યા બાદ સભા સ્થળ જવાહર મેદાન ખાતે જવાના છે અને ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક કરી વડાપ્રધાન ની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરશે.

(8:21 pm IST)