Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સરકારી નોકરી ન મળતા જુનાગઢના યુવાનનો ગળાફાંસો ખાઇને આપઘાત

બિમારીથી કંટાળી માળીયાનાં વૃધ્‍ધાનું અગ્નિસ્‍નાન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૪: સરકારી નોકરી ન મળતા જુનાગઢનાં એક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી ગઇ હતી.

જુનાગઢમાં દુર્વેશનગરમાં આવેલ સરયુ એપાર્ટમેન્‍ટમાં રહેતા ૩૮ વર્ષીય મહેન્‍દ્રકુમાર લક્ષ્મણભાઇ મહીડા નામનાં યુવાન અભ્‍યાસ પૂર્ણ કરીને છેલ્લા ચાર વર્ષથી સરકારી નોકરી માટે તૈયારી કરતા હતા.

આમ છતાં પણ મહેન્‍દ્રભાઇને નોકરી ન મળતા તેમને લાગી આવ્‍યું હતું ગઇકાલે પોતાનાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ઇષાી કરવાના દોરડા વડે લટકીને ગળાફાંસો ખાઇ મોતને મીઠું કરી લીધું હતું.

વિશેષ તપાસ બી ડીવીઝનનાં પોલીસ જમાદાર વી. ડી. ગીયડ ચલાવી રહ્યા છે.

અગ્નિસ્‍નાન

કેશોદનાં કેવદ્રા ગામે રહેતા ૯૦ વર્ષીય રમાબેન ધનજીભાઇ ભાલોડીયા નામનાં વૃધ્‍ધાએ બિમારીથી કંટાળી જઇ અગ્નિસ્‍નાન કરી લેતા તેના પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

આપઘાત

માળીયા હાટીનાનાં ૩૮ વર્ષીય રાજુભાઇ નુરભાઇ પરમારે ઘણા સમયથી કોઇ કામ ધંધો ચાલતો ન હોય અને ઘરનું પુરૂં થતું ન હોવાથી ઝેરી પાવડર પી જઇને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:59 pm IST)