Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અડવાલ ગામના કૃપાલીબા જાડેજાએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડી દીધો

પંદરેક દિવસ પહેલા મગફળીના બીયારણમાં વપરાતી પેસ્ટી ભુલથી ખવાઇ ગઇ'તી

રાજકોટ, તા.૨૪: જામકંડોરણાના અડવાલ ગામમાં પંદરેક દિવસ પહેલા ઉલ્ટીઓ થતા રાજકોટ સારવાર માટે ખસેડાયેલી યુવતીનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ અડવાલ ગામમાં રહેતા કૃપાલીબા ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.વ.૨૧)ને ગત તા.૧૮ના રોજ ઉલ્ટીઓ થતા તેને પ્રથમ ધોરાજી તથા જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. તા.૮ના રોજ મગફળીના બીયારણમાં વપરાતી પેસ્ટી ભુલથી ખવાઇ જતા યુવતીનું મૃત્યુ નિપજયુ હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે જામકંડોરણા પોલીસે કાર્યવાહી કરી છે.

(3:06 pm IST)