Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

કોટડાપીઠામાં જન આશિર્વાદ યાત્રાનુ સ્વાગત

કોટડાપીઠા : કોટડાપીઠા : રાજકોટ જીલ્લામાંથી આવેલી જનઆશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત તેમજ શાળાની બાળાઓ કેન્દ્રીયમંત્રી શ્રી રૂપાલા દ્વારા કુમકુમ તિલક તેમજ ફુલોથી સ્વાગત થયેેલ ત્યારબાદ જન આશીર્વાદ યાત્રાના મંચ પર કેન્દ્રીયમંત્રીશ્રી રૂપાલાનું ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ આગેવાનો દ્વારા બુકલેટથી સ્વાગત કરેલ. આ કાર્યક્રમનું આકર્ષણ ખંભાળા ગામના ભરવાડ સમાજના યુવાનો દ્વારા પરંપરાગત ડ્રેસમાં આવેલ. યુવાનોએ ભારે આકર્ષણ જમાવેલ હતુ. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ શ્રી કુવાડીયા, અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા, રાજયના કૃષિમંત્રીશ્રી ફળદુ, જીલ્લા પ્રભારી હકુભા જાડેજા, પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ, તાલુકાના ભાજપના કાર્યકરો તેમજ આજુબાજુના ગામોથી કલોરાણા, વાવડા, પાનસડા, ગરણી તેમજ આજુબાજુના ગામડાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જનઆર્શીવાદ યાત્રાનું સ્વાગત કર્યુ તે તસ્વીર.

(1:18 pm IST)