Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

જૈન શકિત સામાયિકનું વિમોચન

જામનગર : પ.પુ. પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્યની સ્મૃતિમાં પ્રસિધ્ધ કરાયેલ જૈનશકિત મેગેજીનના અંકનું વિમોચન કામદાર કોલોની જૈન સંઘ ખાતે પુ.આચાર્યદેવ શ્રીમદ હેમપ્રભસુરી મ.સા.ના હસ્તે કરવામાં આવેલ. આ સમયે જૈનશકિતના તંત્રી જય દોશી, નિવાસી તંત્રી અજય શેઠ, સલાહકાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનીષ મારૂ, જૈન અગ્રણીઓ આર.કે.શાહ, વિજયભાઇ શેઠ, પ્રદિપભાઇ દોઢીયા, નૈલૈશ ટોલીયા, મિલાપ કોઠારી વિગેરે ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર : વિશ્વાસ ઠકકર)

(1:17 pm IST)