Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

જેતપુરમાં ચાર-ચાર સંતાનોને મુકી પ્રેમી સાથે ભાગી ગયેલ પ્રેમીકાને સોમનાથથી પકડી પાડતી પોલીસ

પોતાનો પતિ મારતો હોવાથી ભાગી ગયેલ હોવાની રાવ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૪ :.. શહેરના કોટડીયાવાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરીવારની આરતીબેન ત્રિલોકસિંહ રાજાવાડ ૧૩ દિવસ પહેલા બાવાવાળાપરા વિસ્તારમાં રહેતા એક શખ્સ સાથે ભાગી ગયેલ આ અંગેની ફરીયાદ તે યુવતીના પતિ ત્રીલોકસિંહ શહેર પોલીસમાં નોંધાવતા પોલીસે ચાર-ચાર નાના સંતાનો ની કાકલુદી સાંભળી તેની માતાને પકડી પાડવા ચક્રોગતિમાન કરતા ગઇકાલે બન્ને પ્રેમી પંખીડા સોમનાથથી મળી આવતાં. પોલીસની ટીમે ગત રાત્રીના આરતીબેન તેમજ તેના પ્રેમીને પકડી પોલીસ સ્ટેશને લાવેલ જયાં તેના પતિ અને ચાર સંતાનો સાથે મીલન કરાવેલ.

આરતીબેનને ભાગી જવાનું કારણ પુછતા તેમણે રાવ કરેલ કે તેનો પતિ તેને લગ્નના ૯ વર્ષથી માર મારતો હોય ઘરમાંથી બહાર નીકળવા ન દેતો હોય કોઇને ફરીયાદ કરી શકિત ન હતી. તેથી ભારે હૈયે નાના બાળકોને મુકી પ્રેમી સાથે ભાગી ગયેલ. તેને પુછતા તેમણે જણાવેલ કે હાલ સંતાનોને તે અપનાવી લેશે પરંતુ પતી મારકુટ કરતો હોય તેની સાથે નહિ પરંતુ પ્રેમી સાથે જવાનું રટણ કરતી હતી. જો કે તેને સમજાવતા હાલ તે પોતાના ઘેર જવા રાજી થયેલ પરંતુ પોલીસ તેને પુછપરછ કર્યા બાદ આગળ શું પગલા લેવાશે તે નકકી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેર પોલીસના જાંબાઝ સીટી પી. આઇ. પી. ડી. દરજી શહેરમાં માત્ર દારૂ-જૂગારની બદીઓ દુર કરવાની નહિ પરંતુ કોઇનો વિખેરાયેલ માળો પણ ફરી ભેગો કરી આપે છે. શહેર પોલીસે ભુતકાળમાં પણ આવા સરાહનીય કાર્યો કરેલ હોય ચાર-ચાર સંતાનોની માતાને પરત તેના બાળકો સાથે મીલન કરાવી આપતા તેમની સરાહના થઇ રહી છે. 

(1:15 pm IST)