Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર જન્માષ્ટમી તહેવારમાં બંધ રહેશે

27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એટલે કે 6 દિવસ સુધી મંદિર બંધ રહેશે: તહેવારોમાં સંક્રમણ ના ફેલાય તે માટે લેવાયો નિર્ણય

રાજકોટ :  સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર જન્માષ્ટમી તહેવારમાં બંધ રહેશે. આગામી 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એટલે કે 6 દિવસ સુધી મંદિર બંધ રહેશે. જન્માષ્ટમીના તહેવારને પગલે કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને લઈને મંદિર અને અન્નક્ષેત્રમાં ભીડ ના થાય એ માટે 6 દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 સપ્ટેમ્બરને ગુરુવારથી ભક્તો પૂજ્ય જલારામ બાપાનાં દર્શન રાબેતા મુજબ કરી શકશે.

(12:42 pm IST)