Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સોમનાથમાં યાત્રિકોને ગંદકીમાથી પસાર થવુ પડે

પ્રભાસપાટણ : સોમનાથ બાયપાસ ઉપર અનેક નાની મોટી હોટલો આવેલ છે અને આ હોટલની આજુબાજુ જે રસ્તાઓ આવેલ છે તે અતિ બિસ્માર હાલતમાં છે. રોડમાં મોટા મોટા ખાડાઓ આવેલ છે અને ખાડાઓમાં ચોમાસાનું પાણી ભરાવાને કારણે યાત્રિકોને ચાલવુ તેમજ વાહનો ચલાવવા મુશ્કેલી પડે છે. સોમનાથની મોટી હોટલો સોમનાથ બાયપાસ ઉપર આવેલ છે જેથી આ હોટલોમાં વીઆઇપી યાત્રિકો આવતા હોય છે. તેઓને આ બિસ્માર રસ્તા અને ગંદકીમાંથી પસાર થવુ પડે છે. સોમનાથ મંદિરની આજુબાજુ આવેલ હોટલોના રસ્તા સારા તેમજ સ્વચ્છ છે જયારે સોમનાથ બાયપાસના રસ્તાઓ અતિ બિસ્માર છે. સોમનાથના વિકાસ માટે તાજેતરમાં કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરેલ છે ત્યારે સોમનાથ બાયપાસના રસ્તા રીપેરીંગ બાબતે સ્થાનિક નગરપાલીકામાં ઘોર બેદરકારી જોવા મળે છે. આ રસ્તા રીપેરીંગ બાબતે નગરપાલીકાના પ્રમુખ અને સભ્યોને વારંવાર રજૂઆતો કરેલ છે છતા ધ્યાન આપવામાં આવતુ નથી.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:53 am IST)